શ્રી ઝાલાવાડ લેઉઆ પાટીદાર સમાજ કેળવણી મંડળ, સુરેન્દ્રનગર દ્વારા સમાજના યુવાનાનો વિકાસ માટે તેમજ યુવાન સમયમાં ઉદ્ભવતી નાની-મોટી સમસ્યાઓ બને ત્યાં સુધી ન ઉદ્ભવે તેવાં આશયથી ત.૨૮/૧૨/૨૦૨૩ ના રોજ વિદ્યાસંકુલ ખાતે ’’યુવાની ના ઉંબરે’’ મોટીવેશનલ કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં મુખ્ય વક્તા તરીકે જાણીતા રીચથીંકર ર્ડા. અંકીતાબેન મુલાણી દ્વારા વક્ત્વત્વ આપવામાં આવેલ, સાથે સાથે શ્રી ખોડલ ધામ, કાગવડ દ્વારા રાજકોટના અમરેલી ખાતે બનનાર આધુનિક કેન્સર હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટરના ભુમિપૂજન સમારોહમાં સમાજના વધુમાં વધુ લોકો હાજર રહે તે માટે આદરણીય ચેરમેનશ્રી નરેશભાઇ પટેલ રૂબરૂ સભાને સંબોધન અને માર્ગદર્શન આપવા માટે વિશેષ ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમ ખૂબ સંદર અને સફળ રહ્યો.
Read More